Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

નવજીવન રાજકોટ સુધી લંબાવો : જામનગર - બાંદ્રા કાયમી ધોરણે ચલાવો : હરિદ્વાર જવા વધુ ટ્રેન સુવિધા જરૂરી

રાજકોટ ચેમ્બરે રેલ્વેના વિવિધ પ્રશ્નો અંગે સાંસદને કરી રજૂઆત

રાજકોટ તા. ૮ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અને ડી.આર.યુ.સી.સી. મેમ્બર પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ–સૌરાષ્ટ્રના મુસાફરો ખુબ જ મોટી સંખ્યામાં રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતેથી મુસાફરી કરતા હોય છે ત્યારે તેઓને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તેમજ રાજકોટ રેલ્વે સ્ટેશનેથી વધારાની નવી ટે્રનો શરૂ કરવા બાબતે માનનીય સાંસાદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા સમક્ષ રજુઆત કરવામાં આવેલ.

(૧) જામનગર–બાન્દ્રા ટ્રેનનં. ૧૯૧ર૪ / ૧૯૧ર૩ હકસફર એકસપ્રેસ હાલમાં અઠવાડીયામાં ત્રણ વખત ચાલુ છે, જેને કાયમી ધોરણે ચલાવવી.

(ર) ટ્રેનનં. ૧૯પ૬પ / ૧૯પ૬૬ ઓખા–દેહરાદુન એકસપ્રેસ અઠવાડીયામાં એક વખત જાય છે, આ ટ્રેન હરિદ્ઘારા મુસાફરી કરનાર માટે ખુબ જ અનુકુળ અને ઉપયોગી હોવાને કારણે કમ સે કમ અઠવાડીયામાં ત્રણ વખત ચાલવી જોઈએ. તદ ઉપરાંત પોરબંદર થી દિલ્હી સરાઈ રોહિલા જતી ટ્રેનનં. ૧૯ર૬૩ - ૧૪ કલાક સરાઈ રોહિલા પડી રહે છે તેને બદલે આ ટ્રેનને હરિદ્ઘાર સુધી લંબાવવામાં આવે તો મુસાફરોની સુવિધામાં ઘણો બધો વધારો થઈ શકે. આ સિવાય અમદાવાદ–હરિદ્વારા દિલ્હી મેઈલ કાલુપુર સ્ટેશન પર ૧૪ કલાકનો લાંબો હોલ્ટ ધરાવે છે જેને રાજકોટ સુધી લંબાવવી ખાસ જરૂરી છે.

(૩) તાજેતરમાં રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ૧ ઉપર ૩ એસ્કેલેટર પુરા પાડવામાં આવેલ છે. જે પૈકી બે એસ્કેલેટર અપ અને ડાઉન સુવિધા પુરી પાડે છે. પરંતુ પ્લેટફોર્મ નંબર ર ઉપર મુકવામાં આવેલ એસ્કેલેટર માત્ર અપ સાઈડની સુવિધા પુરી પાડે છે. આ સ્થળે ચોથું એસ્કેલેટર તાત્કાલીક મુકવાની ખાસ જરૂરીયાત છે.

(૪) રાજકોટ થી ચેન્નઈ જવા માટે ડાયરેકટ ટ્રેનની કોઈ સુવિધા ન હોવાને કારણે મુસાફરોને વાયા અમદાવાદ જવું અને આવવું પડે છે. જયારે ચેન્નઈ–અમદાવાદ ટ્રેનનં. ૧ર૬પ૬ અને ૧ર૬પપ નવજીવન એકસપ્રેસને રાજકોટ સુધી લંબાવવામાં આવે તો આવા મુસાફરો સીધી ચેન્નઈની મુસાફરી કરી શકશે.

(પ) ટ્રેનનં. ૧રર૬૭ / ૧રર૬૮ મુંબઈ સેન્ટ્રલ–હાપા વચ્ચે દોડતી દુરન્તો એકસપ્રેસને બોરીવલી અથવા મલાડ સ્ટેશન ખાતે હોલ્ટ આપવાની ખાસ જરૂરીયાત છે.

(૬) ઓખા–જોધપુર વચ્ચે કોઈ ડાયરેકટ ટ્રેનની સુવિધા ન હોવાથી અઠવાડીક ટે્રન ચાલુ કરવી ખુબ જ જરૂરી છે.

(૭) ઓખા–દિલ્હી વચ્ચે અઠવાડીક ટે્રન ચાલુ કરવી.

(૮) ટ્રેનનં. રર૯૩૭ / રર૯૩૮ રાજકોટ રેવા ટ્રેન હાલ અઠવાડીયામાં એક વખત જાય છે. જેને અઠવાડીયામાં બે વખત શરૂ કરવી. તેમ રાજકોટ ચેમ્બરની  યાદીમાં જણાવેલ છે.

(3:38 pm IST)