Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કાલની કેજરીવાલજીની જાહેરસભામાં ઉમટી પડોઃ રાજભા ઝાલા

રાજકોટઃ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પૂર્વ સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન રાજભા ઝાલાએ શહેરની જનતાને જાહેર અપીલ કરીને કેજરીવાલજીની સભામાં ઉપસ્‍થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવેલ છે. તેઓએ જણાવેલ કે કેજરીવાલજીની જાહેર સભા રાજકોટમાં પ્રથમ વખત યોજાઈ રહેલ હોય તેમને સાંભળવા માટે આમ જનતામાં ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે. કાર્યકરો દ્વારા સભાને સફળ બનાવવા આખરીઓપ આપી રહ્યા છે. આવતીકાલે સાંજે ૫ વાગે શાષાી મેદાન ખાતે શહેરીજનોને ઉમટી પડવા અંતમાં જણાવાયું છે.

(2:45 pm IST)