Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગુરૂપ્રસાદ ચોક મેલડી મંદિરે કાલે નવરંગો માંડવો-સમુહલગ્નોત્‍સવ

રાજકોટ તા. ૧૦ : ગુરૂપ્રસાદ ચોક ખાતે શ્રી પીપરવાડી મેલડી માતાજીના આંગણે કાલે તા. ૧૨ ના નવરંગા માંડવાનું આયોજન કરાયુ છે. જેનું થાંભલી રોપણ સવારે ૬ વાગ્‍યે થશે.

સાથો સાથ ૧૦ માં સર્વજ્ઞાતિ સમુહલગ્નનું પણ આયોજન કરાયુ છે. સવારે ૬ વાગ્‍યે જાન આગમન અને ૧.૩૦ વાગ્‍યે જાનવિદાય થશે. બપોરે ૧૧.૩૦ વાગ્‍યે અને સાંજે ૭.૩૦ વાગ્‍યે મહાપ્રસાદ  રાખેલ છે.

મહોત્‍સવમાં સંતશ્રી રામધણવાળા બાપુ (મવડી) તેમજ આપાગીગાના ઓટલાવાળા શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ પધારી  આશીર્વચનો વરસાવશે. લોકમેળા ફેઇમ કલાકાર તુલસીદાસ ગોંડલીયા માર્મીક હાસ્‍યરસનો કાર્યક્રમ આપશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા પીપરવાળી મેલડી માં મિત્ર મંડળના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે

(2:53 pm IST)