Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ઇન્‍દ્રપ્રસ્‍થનગરમાં નવનિર્મિત ધર્મસંકુલની શનિવારે શિલારોપણવિધિ

પૂ. ધીરગુરુદેવની નિશ્રા

રાજકોટ તા. ૧૦: પી. એમ. ટ્રસ્‍ટ-રાજકોટના ઉપક્રમે પૂ. ધીરગુરુદેવ એવં મહાસતીજી વૃંદની નિશ્રામાં જૈનભવન, ર૧ ન્‍યુ જ ાગનાથ પ્‍લોટ ખાતે શ્રીમતી શારદાબેન રમણીકલાલ શાહ (ઓમાનવાલા) હોલ ખાતે તા. ૧૪ ને શનિવારે સવારે ૮-૩૦ થી ૯ કલાકે ભકતાપર જાપ અને ૯ થી ૧૦ કલાકે રાજકોટ રત્‍નભૂષણ દાનવીર ચંદ્રવદનભાઇ દેસાઇ (કલકતા)ના પ્રમુખપદે ઇન્‍દ્રપ્રસ્‍થનગરમાં નવનિર્મિત ધર્મસંકુલની શિલારોપણ વિધિ યોજાયેલ છે. મુખ્‍ય મહેમાનપદે મુકેશભાઇ કામદાર-મુંબઇ ઉપસ્‍થિત રહેશે.

નવનિર્મિત ધર્મસંકુલમાં શ્રી નરભેરામ પાનાચંદ મહેતા-ઉપાશ્રય, આયંબિલ ગૃહ, જૈન સેન્‍ટર હોલ, વગેરેનું નિર્માણ થશે. આ પ્રસંગે રજનીભાઇ બાવીસી, ચંદ્રિકાબેન પ્રફુલભાઇ જસાણી, જગદીશભાઇ ભીમાણી, કરણાભાઇ માલધારી, રંજનબેન જે. પટેલ, વિજયાબેન બાટવીયા પરિવાર, નલીનભાઇ બાટવીયા, ઉષાબેન વી. શાહ, જયેન્‍દ્રભાઇ દામાણી, રીનાબેન જીતુભાઇ બેનાણી, હર્ષિદાબેન સંઘાણી, ઇન્‍દિરાબેન કામદાર વગેરેના હસ્‍તે કરાશે. તેમ ધીરૂભાઇ વોરાની યાદીમાં જણાવાયું છે.

(4:17 pm IST)