Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પંડિત શિવકુમાર શર્માજી આજથી સ્થૂળ સ્વરૂપે આપણી વચ્ચે નથી , પરંતુ એમનું સૂક્ષ્મ સંતૂર વાદન કાયમ આપણા કાનોમાં ગુંજતું રહેશે : પૂ. મોરારીબાપુ

પંડિતજીના નિર્વાણને પ્રણામ કરીને અંતઃકરણ પૂર્વક ની શ્રદ્ધાંજલી અર્પણ

dir="auto">રાજકોટ તા.૧૦ :  પંડિત શિવકુમાર શર્માજીને પૂ. મોરારીબાપુએ શ્રદ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું છે કે,આદરણીય અને આત્મીય પંડિત શિવકુમાર શર્માજી આજથી  સ્થૂળ  સ્વરૂપે આપણી વચ્ચે નથી. પરંતુ એમનું સૂક્ષ્મ સંતૂર વાદન કાયમ આપણા કાનોમાં ગુંજતું રહેશે.
 શબ્દની ઉચ્ચતમ સમજ, સુર ની અદભુત સમજ અને વાદ્ય ની વિશ્વસનીયતા આ ત્રણે નો સંગમ આ ઉચ્ચ કોટિના સંગીત સાધકમાં મેં નિહાળેલ છે. એમની નખશિખ શાલીનતાને નમન કરવાનું મન થાય. આવા પંડિતજીના નિર્વાણને મારા પ્રણામ. અંતઃકરણ પૂર્વક ની શ્રદ્ધાંજલી. એમના પરિવારજનોને મારી દીલસોજી પાઠવું છું.તેમ પૂ.મોરારિબાપુએ અંતમાં જણાવ્યું છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
(7:12 pm IST)