Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ચેક રિટર્ન કેસમાં નાગરિક બેંકના ધોરાજીના ખાતેદારને ૧ વર્ષની સજા, વળતર ચુકવવા હુકમ

રાજકોટઃ બેંકમાંથી લોન લઈ ભરપાઈ ન કરનાર ડિફોલ્ટરએ માટે ફરી એકવાર સજા સાથે દાખલારૂપ ચુકાદો ધોરાજીની કોર્ટે આપ્યો છે.

વિગતથી જોઈએ તો, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ધોરાજી શાખાના ખાતેદારે કમલ જયંતિલાલ મહેતાને ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ ખાતુ ડિફોલ્ડર (એનપીએ) થયું હતું. ખાતેદારે આપેલ વસુલી રકમનો ચેક પરત કર્યો હતો. જેથી બેંકે તા.૨૦/૭/૨૦૨૧નાં કમલ જયંતિલાલ મહેતા સામે ધોરાજીની નેગોશીયેલ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલ કર્યો હતો. ખાતેદારે મૂળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી.

આથી, એડી.સિવિલ જજ અને જયુડી. મેજીસ્ટ્રેડ ફ.ક.શ્રીની કોર્ટે ધી નેગોશીયેબલ ઈનસ્ટ્રુમેન્ટ એકટની કમલ- ૧૩૮ હેઠળ કમલ જયંતિલાલ મહેતાનેે એક વર્ષની જેલની સજા અને ચેક રિટર્નના વળતરરૂપે રૂ.૨૬,૯૩૪/-ની રકમ ચુકવવાની સજા ફરમાવી હતી. કમલ જયંતિલાલ મહેતા આ રકમ ન ચૂકવે તો બીજા ત્રણ માસની વધારાની કેદની સજા ફરમાવી હતી. વધુમાં ચેકની રકમ રૂ.૧૩,૪૬૭/- ફરીયાદ દાખલ થવાથી ન્યાયના નિર્ણય સુધી ૯ ટકા સાદા વ્યાજથી ફરીયાદી બેંકને ચુકવવાનો હુકમ કરેલ છે.

ચેક રિટર્નનાં કેસની આ કામગીરીમાં બેંકવતી વિદ્વાન એડવોકેટ યુ.આર. જાડેજા, ફરિયાદી ભાર્ગવ વી.પોપટ (ધોરાજી શાખા મેનેજર) હતા. ચેક રિર્ટનનાં કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરનો ચુકાદો આવતાં બેંકના અન્ય બાકીદારોમાં ફફડાટ અને ગભરાટ ફેલાઈ ગયો છે.

(5:33 pm IST)