Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઘવાયેલા પક્ષીઓ માટે કંટ્રોલરૂમ કાર્યરત

 એનીમલ હેલ્‍પલાઇન કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા મકર સંક્રાંતિના દિવસોમાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે શહેરના જુદા જુદા વિસ્‍તારમાં કેન્‍દ્રો ખોલવામાં આવ્‍યા છે. ત્રિકોણ બાગ ખાતે મુખ્‍ય કંટ્રોલ રૂમ ત્રણ દિવસ માટે શરૂ કરાયો છે. વધુ માહીતી માટે એનીમલ હેલ્‍પલાઇનના મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ અથવા મો.૯૮૯૮૪ ૯૯૯૫૪) ઉપર સંપર્ક કરી શકાશે. જેના ઉદ્દઘાટન સમયે કેબીનેટ મંત્રી પુરૂષોતમ રૂપાલા, કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ રામભાઇ મોકરીયા, મેયર ડો. પ્રદીપ ડવ, જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્‍યુ. કમિશ્‍નર અમિત અરોરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડો. વલ્લભભાઇ કથીરીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(5:18 pm IST)