Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા માનવ સાંકળ

 પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીની પંજાબના પ્રવાસ દરમિયાન કોંગ્રેસ સરકારે સુરક્ષા વ્‍યવસ્‍થામાં દાખવેલ બેદરકારીના વિરોધમાં અને નરેન્‍દ્રભાઇના દીર્ઘાયુ માટે શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ‘હમારે પ્રધાનમંત્રી હમારા અભિમાન' બેનર હેઠળ કિસાનપરા ચોકમાં માનવ સાંકળ રચવામાં આવી હતી. સુત્રોચ્‍ચારથી માર્ગો ગજાવાયા હતા. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી રત્‍નાભાઇ રબારી, દીલીપભાઇ બોરીચા, નાગજીભાઇ વરૂ, ચંદુભાઇ ગરનારા, સંદીપ ડોડીયા, ધર્મેશ ડોડીયા, નારણભાઇ બોળીયા, અજય પરમાર, જયસુખ પરમાર, નિલેશ જલુ, રમેશભાઇ દોમડીયા, રાજુભાઇ મુંધવા, દેવાંગ માંકડ, નેહલ શુકલ તેમજ બક્ષીપંચ મોરચાના તમામ વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કારોબારી સભ્‍યો સહીતના આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(5:21 pm IST)