Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

બાલકૃષ્‍ણ રાજયગુરૂ દ્વારા ગંગા કાંઠે પારાયણ : પોથી યજમાન બનવા નિમંત્રણ

રાજકોટ, તા. ૧ર :  ભાગવત-આચાર્ય કર્મકાંડ-વિશારદ, આચાર્યશ્રી બાલકૃષ્‍ણભાઇ રાજયગુરૂ દ્વારા ભાદરવા વદ નોમ સોમવાર તા. ૧૯ -૦૯ થી ભાદરવા વદ અમાસ રવિવાર તા. રપ-૯ સુધી હરિદ્વારમાં ગંગાકિનારે ૧૦૮ પોથી પારાયણ ભાગવતજીના પાઠનું આયોજન કરવામાં  આવ્‍યું છે.

પિતૃઓના મોક્ષ માટે, પારિવારિક કલ્‍યાણ માટે અથવા સુખ-શાંતિ-સમૃદ્ધિ માટે જે ભકતો પોથી (પાટલો) નોંધાવવા ઇચ્‍છતા હોય તેમણે ૯૯૯૮૭ ૧૧૩૯૧ અથવા ૭૦૧૬૬ ૬૬૭પપ નંબર પર સંપર્ક કરવો. પોથી દીઠ ન્‍યોચ્‍છાવર પ૧૦૦/- રાખવામાં આવ્‍યું છે.

જેમણે પોથી (પાટલો) નોંધાવવાનો હોય એમણે ત્‍યાં આવવાની પણ જરૂર નથી. ફેસબુકના માધ્‍યમથી સંપૂર્ણ પાઠનું જીવંત પ્રસારણ ઘર બેઠા નિહાળી શકાશે અને વોટ્‍્‌સએપના માધ્‍યમથી ફોટો અને વિડિઓ મોકલવામાં આવશે. તેમ તેમની યાદી જણાવે છે.

(12:36 pm IST)