Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં બનાવાયેલ લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનના આંગણે યજ્ઞ કાર્ય સંપન્ન : ટુંક સમયમાં લોકાર્પણ

રાજકોટ : ખોડલધામ દ્વારા સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ પાસે 'શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ' નું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ અતિથિ ભવનના લોકાર્પણ પૂર્વે એક યજ્ઞ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલની ઉપસ્થિતીમાં યોજવામાં આવ્યો હતો. સમસ્ત ટ્રસ્ટીઓએ પરિવાર સાથે ઉપસ્થિત રહી ૧૨ યજ્ઞ કુંડમાં આહુતિ આપી હતી. સોમનાથ મંદિરના ભૂતપૂર્વ પુજારી શ્રી ધનંજયભાઇ દવેના માર્ગદર્શન હેઠળ ૧૫ ભુદેવોની ટીમે શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે યજ્ઞ કાર્ય કરાવ્યુ હતુ. જુનાગઢ - સોમનાથ હાઇવે પર નિર્માણ પામેલ આ અતિથિ ભવનનું ટુંક સમયમાં લોકાર્પણ થશે.

(12:39 pm IST)