Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર તરીકે અઝીઝ ઈબ્રાહીમની નિમણુંક

સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર તરીકે અઝીઝ ઈબ્રાહીમની નિમણુંક

xરાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરના આદેશ તેમજ સીધા માર્ગદર્શન હેઠળ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સાંસ્કૃતિક સેલના સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર તરીકે રાજકોટના જાણીતા- માનીતા સુપ્રસિધ્ધ કલાસર્જક, સાહિત્યકાર અઝીઝ ઈબ્રાહીમની નિમણુંક જાહેર કરવામાં આવેલ છે.અઝીઝ ઈબ્રાહીમે છેલ્લા ૨૦-વર્ષથી રાજકોટમાં સક્રિય આગેવાન તરીકે વિવિધ પદભાર સંભાળેલ. રાજકોટ શહેર જીલ્લાના પ્રવકતા તરીકે વિશિષ્ઠ કામગીરી બજાવી હતી. સાથો સાથ નાટયકાર તેમજ દિગ્દર્શન ક્ષેત્રે ભારે સફળતા મેળવેલ છે.આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષભાઈ દોશી તથા એ.આઈ.સી.સી.ના અગ્રણી શ્રી ગૌરવભાઈ  પંડયાએ તેમજ સૌરાષ્ટ્રભરમાંથી કવિશ્રી દિલીપ જોષી કલાકાર જયંત જોષી, મહેશ કોટેચા, ડો.અલ્કાબેન માંકડ, નલીન સુચક, સંગીકાર મનોજ- વિમલ, ઈરફાન પીરઝાદા, પન્ના રાજા, પ્રવિણ વ્યાસ, જનાર્દન પંડયા, દિલીપ ગોસલીયા, કિર્તીદા ચંચલ, બાલેન્દુ જાની, જુસબ પરમાર, કલ્યાણી પંડયા, ભરત કારીયા, પ્રદીપ દવે, રસીક હીરાણી,  જીતુ કનોજીયા, દર્શક ચૌહાણ વિગેરે કલાકારો, સર્જકોએ શુભકામનાઓ પાઠવેલ છે. (મો.૯૩૧૬૩ ૫૯૮૩૩)

(3:45 pm IST)