Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

એ હાલો ‘અકિલા રઘુવંશી બીટસ'માં ગરબા રમવા જઈએ

સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાશે પવિત્ર મહોત્‍સવઃ ખેલૈયાઓએ પાસ મેળવી ગેઝેબો તથા સેલ્‍ફી ઝોન આકર્ષણનું કેન્‍દ્ર રહેશેઃ સાધુવાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્‍સવની કરાતી તડામાર તૈયારીઓઃ રાસોત્‍સવના ફોર્મનું શહેરના ૩૪ સ્‍થળોએ વિતરણ

રાજકોટઃ મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્‍ના, પારસભાઈ ઉનડકટ, સાગરભાઈ તન્‍ના, જયદેવભાઈ રૂપારેલીયા, નૈનેશભાઈ દાવડા, અમીતભાઈ પોબારૂ સહિતના ૧૦૦થી પણ વધુ સ્‍વયંસેવકોની ટીમ અકિલા પરીવારના મોભી અને રઘુવંશી જ્ઞાતિ રત્‍ન કિરીટકાકા ગણાત્રાના માર્ગદર્શનમાં સમગ્ર આયોજનને ક્ષતિશુન્‍ય બનાવવા પરિશ્રમની પરાકાષ્‍ઠા સર્જી રહયાં છે.

સતત છઠા વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા.૨૬/૦૯ થી તા.૦૫/૧૦ સુધી યોજાનાર ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ'નું વિશેષ માહિતી આપતાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સંયોજકો અને રઘુવંશના યુવાન, ઉત્‍સાહી અને સાથી ટીમ જણાવે છે કે દશ દિવસ દરમિયાન યોજાનાર આ ભવ્‍ય મહોત્‍સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્‍થિતિમાં, મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાયેલ આ આયોજન એટલે રાજકોટનું એક એવું નવરાત્રી આયોજન કે જેમા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સર્વે હોદેદારો તેમજ હજારો ખેલૈયાઓ પરીવાર સાથે અત્‍યંત પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં ઝુમશે. મા આદ્યશકિતની આરાધના સૌ સાથે મળી કરશે.

આ રાસોત્‍સવમાં દરરોજ માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન-અર્વાચીન સ્‍તુતીઓ, દુહા-છંદની રમઝટ બોલાવવામાં આવશે. દરેક નોરતે ‘જય આદ્યાશકિત' જાણીતા ભકિતપદથી રાસોત્‍સવનાં મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો,સીંગર જીગ્નેશ સોની, અભિષેક ગઢવી, ભૂમિ મહેતા તથા એન્‍કર તરીકે હર્ષલ માંકડ (હેયાન) અને વૈશ્વીક ખ્‍યાતનામ ઓશો બીટસ ઓરકેસ્‍ટ્રાના મહેશભાઈ ગૌસ્‍વામી તથા સાથી ટીમ, સુનીલભાઈ રાદડીયા (પેરેમાઉન્‍ટ સાઉન્‍ડ) સહિતના સંગીતકાર એરેન્‍જરના સથવારે સમગ્ર દેશના વિવિધ રાજયોના લોકગીતો પ૨ ભજન, રાસ પર આધારીત ભકિતપદોને સથવારે ઇન્‍ટરનેશનલ ફેઇમ કલાકારોના ગ્રુપ સાથે ઓરકેસ્‍ટ્રા તેમજ રસાળ એન્‍કરીંગ તેમજ ઢોલમાં ખાસ બહારથી આવેલ કલાકારો ધૂમ મચાવશે. અમે રઘુવંશીનાં છોરા રે ‘વિરપુર જાવુ કે સતાધાર જાવુ, ‘કહો પૂનમના ચાંદ'  ‘ભાઇ ભાઈ', ‘માં પાવા તે ગઢથી ઉતરયા રે લોલ' ગીતોના સથવારે દરરોજ હજારો ખેલૈયાઓ ભાવવિભોર બનીને ઝુમશે.

રઘુવંશી રાસોત્‍સવમાં અત્‍યાધુનીક ૧ લાખ  વોલ્‍ટની ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ રાખવામાં આવી છે. વોર્ટેક સ્‍પીકસ (જે.બી.અલ.) તેમજ ફ્‌લાઈગ સીસ્‍ટમનાં સથવારે ધૂમ મચાવશે. સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના અભિમન્‍યુસિંહ જાડેજા અને તેમના બાઉન્‍સરો સુરક્ષા કવચ પુરૂં પાડશે. તેમજ સમગ્ર ગ્રાઉન્‍ડ સી.સી. ટીવી કેમેરાથી સજજ રહેશે તથા સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ઘરે બેઠા આ મહોત્‍સવને લાખો દર્શકો નિહાળી શકે તે માટે જાણીતી ચેનલ દ્વારા રાસોત્‍સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

 ‘અકિલા-રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ' ના ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે  વિતરણ થઇ રહયાં છે. ખેલૈયાઓનો ખૂબ મોટો ધસારો અને અનેરો ઉત્‍સાહ જોવા મળી રહયો છે. ફોર્મ જમા કરાવવા માટે જાનકી પ્રોપટીઝ, જગન્‍નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો.૯૭૨૭પ ૪૩૧૭૬) કાર્યાલયે જ સંપર્ક કરવો.  

‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ'ના ફોર્મ (૧) જાનકી પ્રોપર્ટીઝ, જગન્‍નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) મગનલાલ આઇસ્‍ક્રીમ, રેસકોર્ષ રીંગ રોડ (૪) સંતોષ ડેરી ફાર્મ, ઈન્‍દીરા સર્કલ, (પ) અંબીકા ફરસાણ, કોટેચા ચોક (૮)અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૭) દર્શન મેચીંગ સેન્‍ટર, પંચાયત ચોક (૮)રાજેન્‍દ્ર સોડા, ઓસ્‍કાર પ્‍લાઝા, સાધવાસવાણી રોડ, (૯) ધુબાકા શીંગ, રૈયા રોડ, (૧૦) માં કેન્‍ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૧૧) બાલાજી સ્‍ટેશનરી, બાપા સીતારામ ચોક, રૈયા રોડ, (૧૨) એરટેલ શોપી, જાસલ કોમ્‍પલેક્ષ, નાણાવટી ચોક (૧૩) મનમંદીર કોલ્‍ડ્રીંકસ, રૈયા રોડ, શાકમાર્કેટ પાસે, (૧૪) રાધે બ્‍યુટી કેર, ભકિતનગર સર્કલ, ગીતાનગર મેઈન રોડ, જયનાથ હોસ્‍પીટલ પાસે (૧૫) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ (૧ ૬) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૧૭) ચા વાલા ટી કાફે, સંતોષ ભેળની બાજુમાં, સર્વેશ્વર ચોક (૧૮)કે.ડી. ડાન્‍સ એકેડમી, ૯- જંકશન પ્‍લોટ, (૧૯)રાજહંસ સોડા, ત્રિકોણબાગ, (૨૦)સપના સોડા, શ્રી હરી નમકીનની બાજુમાં, કોટેચા ચોક, (૨૧) જલારામ મંદિર, ભીલવાસ (૨૨) શ્રી વિનાયક એન્‍ટરપ્રાઈઝ, ૨૫/૩૮ ન્‍યુ જાગનાથ પ્‍લોટ કોર્નર (૨૩) કાજલ જયુસ, વિરાણી ચોક (૨૪) શ્રી હરી ભગત, ગુંદાવાડી મેઈન રોડ (૨પ) રઘુવીર મેઘજી, જયુબેલી શાકમાર્કેટ (૨૬) રાઠોડ પાન, દાણાપીઠ ચોક (૨૭) જલારામ વેડીંગ કલેકશન, નિલકંઠનગર મેઈન રોડ (૨૮) શ્રી જલારામ ફરસાણ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ (૨૯) જલારામ પાંઉભાજી,રણછોડદાસજીબાપુના આશ્રમની બાજુમાં, કુવાડવા રોડ (૩૦)જલારામ અનાજ ભંડાર, જુનું માર્કેટીંગ યાર્ડ (૩૧) જયશ્રી અંબીકા જનરલ સ્‍ટોર, ગોપાલનગર-૧, ઢેબર રોડ (૩૨) ક્રિષ્‍ના મોબાઈલ શોપ, ગોકુલધામ ગેઈટ સામે, કળષ્‍ણનગર મેઈન રોડ (૩૩)અર્વા બ્‍યુટી ઝોન, નાંણાવટી ચોકથી અંદર, રામેશ્વર ચોક, રામેશ્વર હોલ પાસે (૩૪) સાગર ઈલેકટ્રીક, સ્‍વામીનારાયણ મંદીરની બાજુમાં, કાલાવડ રોડ રાજકોટ ખાતેથી મળશે. વિશેષ વિગતો માટે મો.૯૭૨૭૫ ૪૩૧૭૬, મો.૮૭૫૮૫ ૮૫૮૪૮ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

 સમગ્ર આયોજન અંગે રઘકુળ યુવા ગ્રુપના આયોજક ટીમના ૧૦૦થી પણ વધુ સ્‍વયંસેવકોની ટીમ સમગ્ર આયોજનને ક્ષતિશુન્‍ય બનાવવા પરિશ્રમની પરાકાષ્‍ઠા સર્જી રહયાં છે. ફોર્મ અંગેની વિશેષ માહિતી માટે મો.૯૭૨૭પ ૪૩૧૩૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(૩૦.૧૪)

પાસના ફોર્મ અને

વધુ માહિતી માટે

મો.૯૭૨૭૫ ૪૩૧૩૬

(3:57 pm IST)