Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

કુવાડવામાં વિજધાંધીયાથી ગ્રામજનોમાં રોષઃ પીજીવીસીએલના નાયબ અધિક્ષકને રજૂઆત

રાજકોટઃ કુવાડવાના સરપંચ સરોજબેન સંજયભાઇ પીપળીયા અને ગ્રામ પંચાયતના સભ્‍યોએ પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળી કુવાડવાના વિજધાંધીયા હલ કરવા માંગણી કરવામાં આવી હતી. બામણબોરથી બાબુલાલ ડાભીએ તસ્‍વીર મોકલી જણાવ્‍યું હતું કે કુવાડવામાં છેલ્લા ઘણા સમયથી વિજળીના ધાંધીયા ચાલુ થયા છે અને તેના કારણે ગામલોકોને ભારે મુશ્‍કેલીઓ વેઠવી પડે છે.  સરપંચ સરોજબેને વધુમાં જણાવ્‍યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી વિજધાંધીયા વધી ગયા છે. ગામલોકોમાં પણ રોષ ફેલાયો છે. ગામ લોકોએ લેખિત મોખિક રજૂઆતો કરી છે. તાકીદે વિજધાંધીયા દુર કરવા માંગણી કરવામાં આવી છે.

(4:18 pm IST)