Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

શિવસેના દ્વારા મહાવીર સ્‍વામીની શોભાયાત્રાનું સ્‍વાગત

 સમગ્ર વિશ્‍વને ‘‘અહિંસા પરમો ધર્મ''નો સંદેશો આપનાર ક્ષમણ ભગવાન શ્રી મહાવીર સ્‍વામીની જન્‍મ કલ્‍યાણક પ્રસંગે સમસ્‍ત જૈન સમાજ દ્વારા રાજકોટ શહેરના રાજમાર્ગો પર નીકળેલ ભવ્‍યાતિ-ભવ્‍ય શોભાયાત્રાનું શિવસેના એકમ દ્વારા ગેલેકસી ચોક ખાતે સ્‍વાગત અને ભાવ વંદના કરાઇ હતી. આ પ્રસંગે શિવસેનાના જીમ્‍મીભાઇ અડવાણી, ચંદુભાઇ પાટડીયા, જયપાલસિંહ જાડેજા, નિલેષ ચોહાણ, વંદન ટાંક, બિપીન મકવાણા, સંજયગીરી સહિતનાઓ હાજર રહ્યા હતા.

(3:29 pm IST)