Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ખેંગારકા ગામમાં ઝેરી જનાવર કરડતા ૫ વર્ષની ખુશીનું મોત

રાજકોટ તા. ૧૪ : જામનગરના ખેંગારકા ગામમાં રહેતી પાંચ વર્ષની બાળકીને ઝેરી જનાવર કરડતા તેનું રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ ખેંગારકા ગામમાં રહેતા બબલુભાઇ મંડેલની પાંચ વર્ષની પુત્રી ખુશી પોતાના ઘરે હતી ત્‍યારે કોઇ ઝેરી જનાવર કરડતા તેને સારવાર માટે પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. આ અંગે સિવિલ હોસ્‍પિટલ પોલીસ ચોકીના ઇન્‍ચાર્જે પ્રાથમિક કાગળો કરી ધ્રોલ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(3:35 pm IST)