Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

પૂ.નમ્રમુનિ મ.સા.ને છાતીમાં ગભરામણ થતા ગોંડલથી તાત્‍કાલીક સિનર્જી હોસ્‍પિટલમાં દાખલ કરાયા

રાજકોટ,તા. ૧૪: ગોંડલમાં આયંબિલ ઓળી અર્થે બિરાજમાન રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ને આજે સવારે મહાવીર જન્‍મ કલ્‍યાણક દિને છાતીમાં ગભરામણ થતા તાત્‍કાલીક રાજકોટની સિનર્જી હોસ્‍પિટલ ખાતે ઇમરજન્‍સીમાં સીફટ કરાયા હતા. જ્‍યાં સિનર્જી હોસ્‍પિટલના ડો. જયેશ ડોબરીયા, ડો.કિંજલ ભટ્ટ તથા ડો.પોપટાણી દ્વારા વિવિધ રિપોર્ટ કરવામાં આવેલ. પ્રાથમિક તપાસ બાદ હૃદયને લગતી કોઇ મુશ્‍કેલી હોવાનું બહાર આવ્‍યું છે. રિપોર્ટ સાંજે ૫ વાગ્‍યે આસપાસ આવવાની સંભાવના છે. અગાઉ પણ પૂ. નમ્રમુનિ મ.સા.ને મુંબઇ લીલાવતી હોસ્‍પિટલમાં પણ છાતીમાં ગભરામણ થવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્‍યા હતા. જ્‍યાં ડો. પાડા દ્વારા સારવાર કરાય.

(3:37 pm IST)