Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

દિકરાનું ઘર વૃધ્‍ધાશ્રમમાં હનુમાન જયંતિ નિમિતે ભકિત સંગીતનો કાર્યક્રમ

રાજકોટ તા. ૧૪: અમેરીકા-યુરોપ સહિત ૩પ દેશોમાં ૩૩૦૦ થી વધુ કાર્યક્રમો આપનાર ૧પ થી વધુ એવોર્ડ    પ્રાપ્‍ત કરનાર ભજનીક વિનોદભાઇ પટેલનો તા. ૧૬ ના શનિવારે સાંજે ૬ થી ઢોલરા ખાતે આવેલ ‘‘દીકારનું ઘર'' વૃધ્‍ધાશ્રમનાં પરીસરમાં ભકિત સંગીત-ગઝલનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

સંસ્‍થાના સંસ્‍થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, કિરીટ આદ્રોજા તેમજ નલીન તન્‍ના એ ‘‘દીકરાનું ઘર'' વૃધ્‍ધાશ્રમના માવતરો માટે પરંતરાગત આયોજન કરેલ છે.

સમગ્ર કાર્યક્રમને યશસ્‍વી બનાવવા સંસ્‍થાના હસુભાઇ રાચ્‍છ, પ્રવિણ હાપલીયા, હાર્દીક દોશી, અશ્‍વિનભાઇ પટેલ, દોલતભાઇ ગદેશા, હરીશભાઇ હરીયાણી, જીજ્ઞેશ પુરોહીત, જીતુભાઇ ગાંધી, પરીમલભાઇ જોષી, મહેશ જીવરાજાની, જયેન્‍દ્રભાઇ મહેતા, પ્રણદ કલ્‍યાણી, ચેતન મહેતા, ઉપીન ભીમાણી, ફાલ્‍ગુનીબેન કલ્‍યાણી, મૌસમીબેન કલ્‍યાણી સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:59 pm IST)