Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ભાજપ દ્વારા ડો. આંબેડકરજીને પુષ્‍પાંજલી

રાજકોટઃ  દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્‍મજયંતીની  ઉજવણી અંતર્ગત શહેર ભાજપ ઘ્‍વારા  સીવીલ હોસ્‍ટિપલ ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરવામા  આવી હતી. આ તકે  રાજયના પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા,  મેયર ડો. પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કશ્‍યપ શુકલ, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓ સાથે શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રભારી, પ્રમુખ- મહામંત્રી, કોર્પોરેટરો, મોરચાના પ્રમુખ-મહામંત્રી તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. ત્‍યારબાદ શહેરના તમામ બુથમાં ડો.આંબેડકરજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવેલ.

(5:02 pm IST)