Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

શિવસેના દ્વારા ડો. આંબેડકરજીને પુષ્‍પાંજલીઃ

 દેશનાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ઉજવણી અંતર્ગત શિવસેના રાજકોટ એકમ દ્વારા શહેરનાં સિવિલ હોસ્‍પિટલ ચોક ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્‍પાંજલી કરી ભાવવંદના કરી હતી. શિવસેનાના જીમ્‍મીભાઇ અડવાણી, ચંદુભાઇ પાટડીયા, જયપાલસિંહ જાડેજા, નિલેષ ચૌહાણ, વંદન ટાંક, બિપીન મકવાણા, સંજયગીરી સહિતનાઓ હાજર રહ્યા હતા.

(4:44 pm IST)