Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા આંબેડકરજીને ભાવવંદનાઃ

ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરજીના જન્‍મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા રાજકોટમાં ડો. બાબા સાહેબ આંબેડકરજીના ત્રણ જગ્‍યા એ પ્રતિમાનેᅠ માલ્‍યાઅર્પણ અને પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યોᅠહતો. હોસ્‍પિટલ ચોકમાં મારુતિ વિસ્‍તાર ,વર્ધમાનᅠ વિસ્‍તાર અને રણછોડ નગર વિસ્‍તારના સ્‍વયંસેવકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતᅠ સંઘ ચાલકમા, મુકેશભાઈ મલકાણ,રાજકોટ વિભાગᅠ સંઘચાલક શ્રી. ડો.સંજીવભાઈ ઓઝા, મહાનગર સંઘચાલક,ડો જીતેન્‍દ્ર ભાઇ અમલાણી વિભાગ કાર્યકારિણી સદસ્‍ય  મનીષભાઈ બેચરા મહાનગર કાર્યવાહ ડો.આશિષ ભાઈ શુકલ, સહ મહાનગર કાર્યવાહ વિરમભાઈ સાબડ મહાનગર સંપર્ક સમુખ  કેતનભાઈ વસા વર્ધમાન વિસ્‍તાર કાર્યવાહ  અશોકભાઈ મકવાણા અને મારૂતી વિસ્‍તાર કાર્યવાહ ડો. હાર્દિક નિમ્‍બાર્ક ઉપસ્‍થિત રહ્યા હતા. આંબેડકર નગર ચોક, ૫૦ફૂટ રીંગ રોડ, મવડી નગર અને કૃષ્‍ણનગર ના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત હતા સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ  કિશોરભાઈ મંગળપરા. રાજકોટ મહાનગર સેવા પ્રમુખ ભરતભાઈ કુંવરિયા મહાનગર ધર્મ જાગરણ પ્રમુખ શ્રીરમેશભાઈ શિંગાળા, લક્ષ્મી વિસ્‍તાર કાર્યવાહ રાજેશ ભાઈ પરમાર સહિતના કાર્યકર્તાઓ ઉત્‍સાહભેર ઉપસ્‍થિત હતાᅠ રાજનગર ચોક -નાનામોવાᅠ રોડ, નટરાજ વિસ્‍તાર લક્ષ્મી વિસ્‍તારᅠ સ્‍વયંસેવકો દ્વારાᅠ બહોળી સંખ્‍યામાં પૂજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્‍યવસ્‍થા પ્રમુખ  નરેન્‍દ્રભાઈ દવે સામાજિક સમરસતા ગતિવિધિના  દિનેશભાઈ પાઠક,મુકેશભાઈ કામદાર , સામાજિક સમરસતા મંચના આગેવાન તથા વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્‍ટર  હમીરભાઇ ચાવડા, નટરાજ વિસ્‍તાર ના માનનીય સંઘ ચાલકજીᅠ વિજયભાઈ, વિસ્‍તાર કાર્યવાહ ડોક્‍ટર હિરેન ઠુંમર ઉપસ્‍થિત રહ્યા હતા અને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી સાથે સામાજિક આગેવાનો જગદીશભાઈ ભોજાણી, મનોજભાઈ માંકડીયા,રામજીભાઈ પરમાર, ગીરીશભાઈ પરમાર પણ ઉત્‍સાહથી જોડાયા હતા.

(4:45 pm IST)