Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

અજ્ઞાનતા પ્રદર્શીત કરનાર પાટીલ પ્રજાજનોની માફી માંગેઃ હેમત લોખીલ

રાજકોટ તા. ૧૪ :.. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કરી ભગવાન શ્રી કૃષ્‍ણ અને તેમના બહેન સુભદ્રાજીને પતિ - પત્‍ની ગણાવી પોતાની અજ્ઞાનતા છતી કરી હોવાનું અખિલ ભારતીય યદુવંશી મહાસભાના હેમતભાઇ લોખીલે આક્રોશભેર એક યાદીમાં જણાવ્‍યું છે.

પોરબંદરના માધવપુરમાં લોકમેળાના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્‍યામાં લોકોની ઉપસ્‍થિતીમાં આવી અજ્ઞાનતા દર્શાવનાર સી. આર. પાટીલે પોતાની ભુલ સ્‍વીકારી અને ધર્મપ્રીય જનતાની માફી માંગવી જોઇએ. તેમ અંતમાં હેમતભાઇ લોખીલ (મો. ૯૯૧૯૭ ૧૭૭૦પ) એ જણાવ્‍યું છે.

(5:10 pm IST)