Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ડો. ભીમરાવ આંબેડકર જયંતિ નિમિતે રેલી - ભાવવંદના :

દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્‍મ જયંતિ નિમિતે રાજનગર ચોકમાં આવેલ તેમની પ્રતિમા ખાતે ફુલહાર કરાયા બાદ રેલીને પ્રારંભ કરાયો હતો. ‘જય ભીમ', ‘બાબા સાહેબ આંબેડકર અમર રહો' ના નારાઓથી માર્ગો ગજાવાયા હતા. મુખ્‍ય માર્ગો ઉપર ફરીને આ રેલી હોસ્‍પિટલ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. ત્‍યાં પણ ડો. બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી ભાવવંદના કરવામાં આવેલ. તે સમયની વિવિધ તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:50 pm IST)