Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

પૂ.ધીરજમુનિ મ.સા.નું કાટકોલામાં પદાર્પણઃ પ્રવચન

રાજકોટ તા.૧પ : કાટકોલાના આંગણે જૈનમુનિ પૂ.શ્રી ધીરગુરૂદેવના આગમનને વધામણા કરવા કુમારિકાઓએ કળશ ધારણ કરેલ પ્રાથમીક શાળામા મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે છે. પ્રાર્થના બાદ શિક્ષકોનું મસ્‍કતના કીર્તિભાઇ મહિયારે જીવન જાગૃતિ કેલેન્‍ડરથી સન્‍માન કર્યા બાદ શોભાયાત્રા નવનિર્મિત આહિર સમાજ ભવનમાં ધર્મસભામાં ફેરવાય હતી.

વિશાળ સંખ્‍યામાં ગ્રામજનોને સંબોધતા ગુરૂદેવે જણાવેલ કે આ ગામ મારૂં છે.મારૂ ગામ સારૂ હોવું જોઇએ આવી ભાવના આવશે ત્‍યારે ગામ ઘર સ્‍વર્ગ બની જશે.

જિલ્લા પંચાયતના સદસ્‍ય કે.ડી. કરમૂરે ગુરૂદેવના પદાર્પણને ગામનું સૌભાગ્‍ય જણાવી સહુના સાથ સહકારની ભાવના દર્શાવી હતી.ધીરજલાલ વાલજી મણીયાર પરિવારના કિર્તિભાઇ, હીનાબેન અને નીલકુમાર મણીયારનું સરપંચ શિલ્‍પા કરમુર પૂર્વસરપંચ મૂન્નાભાઇ વગેરેએ સન્‍માન કરેલ. પ્રવચન બાદ કે.ડી. કરમુર તરફથી પ્રસાદ રાખેલ.

પૂ.ગુરૂદેવનું હાલાર પ્રાંતમાં વિચરણ હોઇ અનેરો ઉમંગ છવાયો છે શનિવારે પોરબંદર પધારવાની સંભાવના છે.

(3:59 pm IST)