Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

જીવંતિકાનગરમાં બાલકૃષ્ણ મહિલા ધૂન મંડળ દ્વારા સત્યનારાયણની કથા-ધૂન

રાજકોટ : પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે અહીંના ગાંધીગ્રામ, જીવંતિકાનગર શેરી નં. ૫ ખાતે બાલકૃષ્ણ મહિલા ધૂન મંડળના બહેનો દ્વારા ગોરમાનું સ્થાપન કરી નિયમિત પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. દરમિયાન અગીયારસના પૂણ્યકાળમાં બહેનો દ્વારા સામૂહિક રીતે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. ધૂન કિર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી. કથાનું વાંચન રમાબેન મકવાણાએ કર્યુ હતુ. સમગ્ર આયોજનની સફળતા માટે અમ્રતબેન, આશાબેન, ધર્મિષ્ઠાબેન, વિણાબેન, શારદાબેન, પ્રભાબેન, ખીમીબેન, રંજનબેન, નીતાબેન, અંજલીબેન, કવિતાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:43 pm IST)