Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

કોંગ્રેસના રાજ્‍યસભાના સભ્‍ય શકિતસિંહ ગોહિલ અકિલા પરિવારના દુઃખમાં સહભાગી

રાજકોટ : ગુજરાત કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા અને રાજ્‍યસભાના સભ્‍ય શ્રી શકિતસિંહ ગોહિલએ ગઇકાલે અકિલા પરિવારના આંગણે આવી અકિલાના તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની શ્રીમતી વીણાબેનના દેહવિલય અંગે ઘેરા શોકની લાગણી વ્‍યકત કરી અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા સાથેની વાતચીતમાં સમગ્ર પરિવારજનોને સાંત્‍વના આપી હતી. તેમણે સ્‍વ. વીણાબેનની છબીને પુષ્‍પાંજલી કરી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. આ તકે શ્રી શકિતસિંહના મિત્ર અને અકિલા પરિવારના સ્‍નેહી શ્રી જનકભાઇ ત્રિવેદી ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(12:01 pm IST)