Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વિણાબેનને શ્રધ્‍ધાંજલી અર્પતા પ.પૂ.કરશનદાસબાપુઃ અકિલા પરિવારના દુઃખમાં સહભાગી બન્‍યા

રાજકોટઃ ‘અકિલા'ના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રાના ધર્મપત્‍નિ સ્‍વ.વિણાબેનનો દેહવિલય થતાં સુપ્રસિધ્‍ધ યાત્રાધામ પરબધામના મહંત પ.પૂ.શ્રી કરશનદાસબાપુ સદ્દગતને શ્રધ્‍ધાંજલી અર્પવા અકિલાના નિવાસસ્‍થાને આવ્‍યા હતા. સદ્દગત વિણાબેનને શ્રધ્‍ધાંજલી અર્પી હતી અને અકિલા પરિવારના દુઃખમાં સહભાગી બની કિરીટભાઈ ગણાત્રા અને અજીતભાઈ ગણાત્રાને આશ્વાસન આપ્‍યું હતું. તસ્‍વીરમાં પ.પૂ.શ્રી કરશનદાસ બાપુ સાથે ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, ‘અકિલા'ના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા તેમજ ‘અકિલા' પરિવારના બનેવી શ્રી સુનિલભાઈ રાયચુરા તથા પરબધામ પરિવારના લાલજીભાઈ વસાણી, વિપુલભાઈ સંચાણીયા, રાજુભાઈ જેઠવા, યોગેશભાઈ ભેસાણીયા, અકિલાના જેતપુર પત્રકાર કેતન ઓઝા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(11:54 am IST)