Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સ્વ. વીણાબેન ગણાત્રાના અવસાનથી ઘણુ દુઃખ, તેમનો મિલનસાર સ્વભાવ યાદ રહેશે :નરેન્દ્રભાઇ

અકિલાના તંત્રી અજિતભાઇના ધર્મપત્નીના દેહવિલય અંગે વડાપ્રધાનનો શોક સંદેશ

રાજકોટ તા. ૧૬ :અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્ની શ્રીમતી વીણાબેન ગણાત્રાના દેહવિલય અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીઍ શોકની લાગણી વ્યકત કરી અજિતભાઇને સંબોધીને શોક સંદેશ પાઠવ્યો છે.

વડાપ્રધાને પત્રમાં જણાવ્યું છે કે, આપના ધર્મપત્ની વિણાબેનના અવસાનના સમાચાર જાણી ઘણું દુઃખ થયું. સદ્ગત કુટુંબ માટે છત્રછાયા સમાન હતા જેમણે જીવનના તડકા-છાયડામાં કાયમ સાથ આપ્યો. તેમનો સ્નેહાળ અને મિલનસાર સ્વભાવ કાયમ યાદ રહેશે. સમગ્ર કુટુંબને આ વિપદા સહન કરવાની પ્રભુ શકિત આપે. ઇશ્વર સદ્ગતના આત્માને શાંતિ અર્પે ઍવી પ્રાર્થના.

(3:21 pm IST)