Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સરપદડમાં રવિવારે એક દિવસીય

નિઃશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિરઃનોંધણી ચાલ ુ

રાજકોટ તા. ૧પ :.. આગામી તા. ૧૯ ના રવિવારે પડધરી તાલુકાના સરપદડ ગામે મણીલાલ કપુરીયાની વાડી વન વિહાર' ઉપર શ્રીમતી મનિષાબા કિશોરસિંહ પરમાર (માં યોગ મીનાક્ષી) તથા કિશોરસિંહ પરમાર (સ્‍વામી નંદ કિશોર) તરફથી એક દિવસીય ઓશો ધ્‍યાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

આ શિબિરનું સંચાલન સ્‍વામી જીવનસ્‍વરૂપ સરસ્‍વતી (આર. જે. આહ્યા) મો. ૯૪ર૮ર ૦રરપપ)  કરશે. આ શિબિર નિઃશુલ્‍ક રાખવામાં આવેલ છે. જે કોઇ ઓશો સન્‍યાસી પ્રેમી જાણ કરી જોડાઇ શકશે.

કિશોરસિંહ પરમાર (સ્‍વામી નંદ કિશોર) તથા શ્રીમતી મનિષાબા કિશોરસિંહ પરમાર (માં યોગ મીનાક્ષી) તરફથી તેમના લગ્ન જીવનની સાલગીરાહ હોઇ શુભેચ્‍છા શિબિર રાખેલ છે.મણીભાઇની વાડીએ જવા માટે માધાપર સર્કલથી જામનગર રોડ તરફ ૮ કિ. મી. દુર ન્‍યારા ગામનું પાટીયુ આવે છે ત્‍યારથી ૪ કિ. મી. દુર ન્‍યારા પછી ખંભાળા આવે છે. ખંભાળા ગામથી જમણી બાજુએ સરપદડ તરફ જવાનો સિંગલ પટી રસ્‍તો આવે છે. આ સિંગલ પટી રસ્‍તા પર આશરે ૬ કિ. મી. દુર મણીભાઇની વાડી આવે છે.

શિબીર સવારે ૯ વાગ્‍યે શરૂ કરીને સાંજે ૬ વાગ્‍યે પુર્ણ થશે આ શિબીરમાં ઓશોના વિવિધ ધ્‍યાન તેમજ સાધકોના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. સાંજે સન્‍યાસ ઉત્‍સવ રાખેલ છે. જેને સન્‍યાસ લેવો હોય તેને માળા અને સર્ટીફીકેટ વિના મુલ્‍યે આપવામાં આવશે.

વધુ વિગત માટે મણીલાલ કપુરીયા મો. ૯૯૯૮૪ ર૭૮૩૧ તથા જીતુભાઇ ચૌહાણ મો. ૯૯૦૯૩ ૯૯૦૯૪ અથવા ધર્મેશભાઇ જોષી (કાનાભાઇ) મો. ૯૪ર૯૪ ૮૪ર૮૪ અથવા શ્રીમતી મનિષાબા પરમાર મો. ૭૦૧૬૯ ૧૮૪૯૬ નો સંપર્ક કરવા જણાવાયું છે.

(11:49 am IST)