Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ધ્રાંગધ્રાથી જામનગર ભત્રીજાના લગ્નમાં આવેલા કાકા પરબતભાઇ સોલંકીનું મોત

ગત રાતે માંડવો હોઇ બધા બેઠા હતાં ત્‍યારે એકાએક ઢળી પડયાઃ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ લગ્નની ખુશી શોકમાં પરિણમી

રાજકોટ તા. ૧૬: ધ્રાંગધ્રાથી જામનગર ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા આવેલા આધેડ રાતે એકાએક બેભાન થઇ ઢળી પડતાં જામનગર સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારની લગ્નની ખુશી શોકમાં પરિણમી હતી.

ધ્રાંગધ્રામાં ડો. પારેખના દવાખાના પાસે રહેતાં પરબતભાઇ કરસનભાઇ સોલંકી (ઉ.વ.૪૩)ના ભત્રીજા યુવરાજના જામનગર ખાતે લગ્ન હતાં. ગઇકાલે માંડવો હતો અને આજે ગુરૂવારે સવારે તાલાલા જાન જવાની હતી. સાંજે બધા સ્‍વજનો બેઠા બેઠા વાતો કરતાં હતાં ત્‍યારે પરબતભાઇ એકાએક બેભાન થઇ ઢળી પડતાં તેમને જામનગરની હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ વોકહાર્ટમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો. ગાંધીગ્રામના હેડકોન્‍સ. આર. ટી. વાસદેવાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી.  મૃત્‍યુ પામનાર પરબતભાઇ એક બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. તેમને સંતાનમાં ચાર પુત્ર છે

(5:04 pm IST)