Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

પતિએ આયર્લેન્‍ડ જવાનો અડધો ખર્ચ માંગ્‍યો,પત્‍નિએ ના પાડતાં છૂટાછેડા આપી દેવા કહ્યું

એરપોર્ટ રોડ પર હાલ માવતરે રહેતી માનસીબેનની જમશેદપુર રહેતાં પતિ, સાસુ, સસરા સહિતના વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ

રાજકોટ તા. ૧૬: એરપોર્ટ રોડ પર જસાણી પાર્કમાં માવતર સાથે રહેતી પરિણીતાને ઝારખંડના જમશેદપુરમાં પતિએ ‘તું જોઇતી નથી છૂટાછેડા આપી દે' કહી અને સાસુ, સસરા, નણંદ અને નણદોયા નજીવી બાબતે શારીરીક માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ પર જસાણી પાર્કમાં માવતર સાથે રહેતા માનસીબેન પ્રતિકભાઇ બુધ્‍ધદેવ (ઉ.વ. ૩૦) એ મહિલા પોલીસ મથકમાં ઝારખંડના જમશેદપુર, એક્ષટેન્‍શન રોડ-૭ તરૂશી એપાર્ટમેન્‍ટમાં રહેતા પતિ પ્રતિક નવીનચંદ્રભાઇ બુધ્‍ધદેવ, સાસુ ભાવીતાબેન નવીનચંદભાઇ બુધ્‍ધદેવ, સસરા નવીનચંદ્રભાઇ બુધ્‍ધદેવ, કોલકતાના જડાઉપુરમાં રાજેન્‍દ્રપ્રસાદ કોલોનીમાં રહેતા નણંદ ચૈતાલીબેન યોગેશભાઇ પાંડે અને નણદોયા યોગેશભાઇ પાંડે સામે ફરિયાદ નોંધાવી છે માનસીબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે છેલ્લા આઠેક માસથી માવતર સાથે રહે છે અને બેંગલોર ખાતે એમફસીસ ગ્‍લોબલ વીલેજ ટેક પાર્ક આઇ.ટી.માં નોકરી કરે છે પોતે માસ્‍ટર ઓફ એન્‍જીનિયરીંગ સુધીનો અભ્‍યાસ કરેલ છે પોતાના ગત તા. ર૦/૧૧/ર૧ના રોજ જમશેદપુરમાં રહેતા પ્રતિક બુધ્‍ધદેવ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બંને હનીમુન માટે માલદીવ ગયા હતા ત્‍યાં પતિએ પોતાની સાથે ઝઘડો કરી મારકુટ કરી કહેલ કે ‘તમે લગ્નમાં કોઇ વ્‍યવસ્‍થા સારી કરેલ નથી' કહ્યું હતું અને બંને માલદીવ સાત દિવસ રોકાયા હતા બાદ બંને જમશેદપુર આવ્‍યા બાદ પોતે પતિ, સાસુ, સસરા સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા. બાદ બીજા દિવસે  સાસુ, સસરાએ ચઢામણી કરતા પતિએ કહેલ કે ‘મારે તું નથી જોતી મારે તારી સાથે છૂટાછેડા જોતા છે' જેથી પોતે ગભરાઇ ગયેલ અને પોતે માતાને ફોન કરતા માતા જમશેદપુર આવીને પતિને સમજાવતા ઘરમેળે સમાધાન થયું હતું. બાદ પતિને આયર્લેન્‍ડ ખાતે નોકરી હોઇ જેથી પોતે અને પતિ કલકતા રહેતા નણંદ-નણંદોયાના ઘરે રોકાયા હતા તે દરમ્‍યાન નણંદ અને નણદોયા પોતાને મેણાટોણા મારતા અને પતિને ચઢામણી કરતા હતા. બાદ પતિ આયર્લેન્‍ડ જતા રહ્યા હતા અને ત્‍યાંથી પોતે રાજકોટ માવતરે આવ્‍યા હતા. બાદ પોતાના વીઝા થઇ જતા પતિનો ફોન આવેલ અને પોતાને કહેલ કે, ‘આયર્લેન્‍ડનો ખર્ચો તારે આપવો જોશે. અડધો ખર્ચો હું આપીશ અને અડધો ખર્ચો તારે આપવો પડશે' તેમ કહેતા પોતે ના પાડતા પતિએ ઝઘડો કર્યો હતો અને પોતાની આયર્લેન્‍ડ જવાની ટીકીટ પણ કેન્‍સલ કરાવી નાખી અને પતિએ માતાને કહેલ કે ‘મારે માનસી સાથે છૂટાછેડા જોય છે' બાદ પોતાને જાણ કર્યા વગર પતિ ભારત આવ્‍યા હતા અને પોતે પોતાની ટીકીટ જાતે કરી પોતાની નોકરીના ઇન્‍ટરવ્‍યુ માટે આયર્લેન્‍ડ ગયા હતા અને જયાં પતિ રહેતા ત્‍યાં ગયેલ ત્‍યારે પતિ ભારત જતા રહ્યા હોવાની ખબર પડી હતી અને પતિએ ઘરનું લીસ્‍ટ કેન્‍સલ કરાવ્‍યું હોવાથી પોતે આયર્લેન્‍ડમાં એકલા રજડી પડતા પોતે ટીકીટ કરી નાગપુરમાં પ્રતિકભાઇના ઘરે જતા રહ્યા હતા. બાદ પતિ તથા સાસુ અને સસરા ત્‍યાં આવેલ અને માતા-પિતા સહિત વડીલો દ્વારા મીટીંગ થઇ હતી. જેમાં પતિએ છૂટાછેડા લેવાનું કહ્યું હતું. આથી પોતે પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ. કે. બી. મકવાણાએ તપાસ હાથ ધરી છે. 

(4:11 pm IST)