Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

નાકરવાડી ખાતે ૪ લાખ મેટ્રીક ટન કચરાનો નિકાલ થશે

ફેઇઝ-૧નું કામ પૂર્ણ : એપ્રીલથી ફેઇઝ-૨નું કામ શરૂ થશે : ૨૫ એકર જમીનને સાયન્‍ટીફીક લેન્‍ડ ફીલ તથા ગ્રીન ફિલ્‍ડ તરીકે ડેવલપ કરાશે

રાજકોટ તા. ૧૬ : ભારત સરકાર દ્વારાસ્‍વચ્‍છ ભારત મિશન-૨.૦'ચાલુ વર્ષથી લોન્‍ચ કરવામાં આવેલ છે. આ મિશન હેઠળ જુના કચરાનાં નિકાલને ખાસ મહત્‍વ આપવામાં આવેલ છે અને તે મિશન અંતર્ગત ખાસ ૪૧% શેરની સ્‍વચ્‍છ ભારત મિશન-૨નાં બજેટમાં જોગવાઈ થયેલ છે અને બાકીના ૫૯% ખર્ચની જોગવાઈ ૧૫માં નાણાપંચ બજેટ હેડ હેઠળ થયેલ છે. આ જોગવાઈ અન્‍વયે દ્વિતીય ફેઈઝ્‍ની કામગીરી હાથ પર લેવામાં આવેલ છે. આ કામગીરી માટેની જરૂરી ટેન્‍ડર પ્રકિયા પુર્ણ થયેલ છે તેમજ સ્‍ટેન્‍ડીંગ કમિટી દ્વારા મંજુરી આપી દેવામાં આવેલ છે. આ કામગીરી માટે ૨ એજન્‍સીઓને ૩-૩ લાખ મે.ટન મળી કુલલાખ મે.ટન વેસ્‍ટ પ્રોસેસીંગ માટે પ્‍લાન્‍ટ સેટઅપ વર્ક-ઓર્ડર ઇશ્‍યુ કરી દેવામાં આવેલ છે. પ્‍લાન્‍ટ સેટઅપની કામગીરી આશરે બે મહિનામાં પૂર્ણ થયે આ ફેઇઝ-૨ની આ કામગીરી એપ્રિલ-૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે.

શહેરમાંથી ઉત્‍પન્ન થતાં ઘન કચરાનો નિકાલ કરવાની કામગીરી  મહાનગરપાલિકા હસ્‍તકની નાકરાવાડી સર્વે નં.૨૨૨/પી ખાતે કરવામાં આવે છે. આ જમા થતા જથ્‍થાનો પ્રથમ ફેઇઝમાંચારલાખ મે.ટનના નિકાલ કરવાની કામગીરી ચાલુ છે. અત્‍યાર સુધીમાં ૭૫% જેટલું કામ પુર્ણ થયેલ છે જયારે દ્વિતીય ફેઈઝ્‍માંલાખ મે.ટન જુના કચરાનાં નિકાલ કરવાની કામગીરી આગામી ૨ માસમાં ચાલુ થશે.

આ કામગીરી પુર્ણ થવાથી શહેરમાં તેમજ નાકરાવાડી આજુબાજુની જમીન, પાણી અને વાતાવરણ પ્રદુષિત થતુ અટકશે તેમજ વધારામાં નાકારવાડી ખાતે વેસ્‍ટથી રોકાયેલ આશરે ૨૫ એકર જમીન ખુલ્લી થશે. આ ખુલ્લી થયેલ જમીનનો સાયન્‍ટીફીક લેન્‍ડફીલ તથા ગ્રીન ફિલ્‍ડ તરીકે ડેવલપ કરવામાં આવશે.(

 

 

(4:16 pm IST)