Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

શનિવારે મહાશિવરાત્રિ નિમિતે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે ધ્‍યાનોત્‍સવ

શિવ તાંડવ ધ્‍યાન-ઓશોનું શિવ પરનું પ્રવચન સંધ્‍યા ધ્‍યાન

રાજકોટઃ ૩૭ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યોથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરે અવાર-નવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્‍વામિ સત્‍યપ્રકાશ કરી રહયા છે.

આગામી તા.૧૮ને શનિવારના રોજ મહાશિવરાત્રી નિમિતે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે સાંજના ૬.૩૦થી ૮ દરમ્‍યાન ધ્‍યાનોત્‍સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ છે. કાર્યક્રમ દરમ્‍યાન શિવતાંડવ ધ્‍યાન, શિવપરના કિર્તન ધ્‍યાન, ઓશોનું શિવપરનું પ્રવચન તથા સંધ્‍યાધ્‍યાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ઉપરોકત મહાશિવરાત્રીના ધ્‍યાનોત્‍સ્‍વના કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સંન્‍યાસી તથા પ્રેમીઓને સ્‍વામિ સત્‍યપ્રકાશે અનુરોધ કરેલ છે

સ્‍થળઃ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર, ગોંડલરોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી, ડીમાર્ટ પાછળ, રાજકોટ વિશેષ માહિતી માટે સ્‍વામિ સત્‍યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(4:26 pm IST)