Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

શેર વીથ સ્‍માઇલ દ્વારા શનિવારે શાહી સમુહલગ્ન

૩ અનાથ સહીત ૧૧ દિકરીઓને સાસરે વળાવાશે : એગ્રેડ લાઇટીંગ ડેકોરેશન : ખજુરભાઇ તથા સંતો મહંતો પધારશે

રાજકોટ તા. ૧૬ : મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શેર વિથ સ્‍માઇલ સંસ્‍થા દ્વારા ૧૧ દિકરીઓના સમૂહલગ્નનું આયોજન કરાયુ છે.

અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે ન્‍યુ રેસકોર્ષ સામેના ન્‍યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ગોકુલ પાર્ટી પ્‍લોટ ખાતે આ અવસર હાથ ધરાશે. જેમાં ૩ અનાથ દિકરી અને અન્‍ય જરૂરીયાતમંદ પરિવારની દિકરીઓ મળી ૧૧ દિકરીઓને શાહી સમારોહના આયોજન થકી સાસરે વળાવવામાં આવશે. સાંજના ફેરાનું આયોજન છે.

એ-ગ્રેડ લાઇટીંગવાળા મંડપ, ભવ્‍ય ડેકોરેશન, લાઇવ ઓરકેસ્‍ટ્રા, ફાયર વર્કસ, સેલ્‍ફી ઝોન સહીત દમદાર આયોજન કરાયુ છે. દરેક દિકરીઓને સોનાના દાણા, સોનાની બુટી, ચાંદીના સાકળા સહીત જીવન જરૂરીયાતની ૧૫૦ થી વધુ વસ્‍તુઓ કરીયાવરમાં અપાશે.

લગ્નના સાત ફેરા સાથે વર્તમાન સમયને અનુરૂપ વ્‍યાજ, દહેજ, કુ-રીવાજોને તિલાંજલી તેમજ જળ જમીન જંગલ જેવી રાષ્‍ટ્રીય સંપદાનું જતન, રકતદાન, દેહદાન જેવા સાત સંકલ્‍પો કરાવવામાં આવશે.

વિવિધ સેવા કાર્યો થકી ૯૧ જેટલા એવોર્ડથી સન્‍માનીત થયેલ સંસ્‍થા શેર વીથ સ્‍માઇલના આ મંગલ અવસરે ખજુરભાઇ ઉર્ફે નીતિનભાઇ જાની તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો તથા સાધુ સંતો પધારી નવયુગલોને આશીર્વચનો આપશે.

તસ્‍વીરમાં અકિલા' ખાતે વિગતો વર્ણવતા શેર વીથ સ્‍માઇલ સંસ્‍થાના સર્વશ્રી સુરજભાઇ ડેર, જયકિશનભાઇ ઝાલા, ગૌતમભાઇ બારસીયા, રોહીતભાઇ રાજપુત, નિખીલભાઇ પોપટ, અભિરાજ તલાટીયા, કપિલભાઇ પંડયા, વિક્રમભાઇ બોરીચા, બ્રીજેશભાઇ પટેલ, દર્શનભાઇ ભટ્ટ, મિતભાઇ બાવળીયા, અજય રાજાની, યોગરાજસિંહ ડાભી, હિતેષ મકવાણા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:28 pm IST)