Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

પુનઃ લગ્ન માટે જીવનસાથી પસંદગીની તકઃ અમદાવાદમાં અનોખો સ્‍વયંવર

રાજકોટ તા. ૧૬: અનુબંધ ફાઉન્‍ડેશન અમદાવાદ દ્વારા એક દિવસમાં પુનઃલગ્ન માટે જીવનસાથીની પસંદગી થઇ શકે તે હેતુથી મોટી ઉંમરની કન્‍યાઓ માટે સ્‍પેશ્‍યલ સ્‍વયંવરનું આયોજન તા. ૧૮ શનિવારે બપોરે ૧ થી પ દરમ્‍યાન શ્રી મહેંદી નવાઝ જંગ હોલ, પાલડી, ચાર રસ્‍તા, અમદાવાદ મુકામે કરેલ છે. જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોને બપોરે ૧ર કલાકે નિયમોને આધીન હાજર રહેવા જણાવાયું છે.

પપ થી ૭પ વર્ષના ઇચ્‍છુક ઉમેદવારોએ ફોટો, આધારકાર્ડની ઝેરોક્ષ, આવક, મકાન માલિકીના પુરાવા, પત્‍ની ગુજરી ગયાનું સર્ટિફિકેટ/ડિવોર્સ પેપર વગેરે અસલ કાગળો લઇને આવવું. ફકત શહેરી વિસ્‍તારના ઉમેદવારોએ આવવું તેમજ લઘુતમ માસિક આવક રૂપિયા ૩૦,૦૦૦/- જરૂરી છે. પસંદગીનો સંપૂર્ણ અધિકાર કન્‍યા પક્ષનો રહેશે. કાર્યક્રમ નિઃશુલ્‍ક તેમજ ધર્મ જ્ઞાતિ કે રાજયના ભેદભાવ વિના છે. ફકત ગુજરાતી હોવું જરૂરી છે. વહેલા તે પહેલા ધોરણે નામ લખવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ અનુબંધ ફાઉન્‍ડેશન-નટુભાઇ પટેલ-૯૮રપ૧ ૮પ૮૭૬ અથવા ૮૩ર૦૩ ૭રર૬૪ ઉપર સંપર્ક સાધવો.

(5:03 pm IST)