Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સદ્ગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.નો આજે ૪૪મો જન્મદિન

રાજકોટ,તા. ૧૬ : ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં કૃપાપાત્ર સુશિષ્‍ય સદગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મહારાજ સાહેબની આજે તા.૧૬નાં ૪૪મી જન્‍મજયંતિનો અવસર છે. સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબ નું મૂળવતન રાજકોટ થી કાલાવડ (શીતલા) જતા ૩૦ કી.મી. પર નિકાવા ગામ છે રત્‍નકુક્ષિણી માતા ઈન્‍દુબેન તથા પુણ્‍યશાળી પિતા જયંતિભાઈ મહેતા, દાદા ભાઈચંદભાઈ ડાયાભાઈ મહેતા, નાના-ભગવાનજી રૂપશી પટેલ સરપદડ, જન્‍મનું સંસારી નામ-પારસ રાખવામાં આવ્‍યું જન્‍મ સમયે નાળ મસ્‍તક પર સર્પાકાર વીંટળાયેલ હતી. જન્‍મ ૧૬/૧ર/૧૯૭૯ બે નાનાભાઈ મિલનભાઈ તથા કોશિકભાઈ ગોંડલ સંપ્રદાયના પારસમૈયા પૂ. રંભાબાઈ મહાતીજીનાં સુશિષ્‍યા સ્‍વ.પૂ. વસંતબાઈ મહાસતીજી (સંસાર પક્ષે ફૈબાસ્‍વામી) પૂ.લાભુબાઈ મહાસતીજી નાં સુશિષ્‍યા પૂ. પ્રફુલ્લાબાઈ મહાસતીજી નાં શિષ્‍યા સ્‍વ. પૂ. જયોત્‍સનાબાઈ મહાસતીજી (સંસાર પક્ષે માસીસ્‍વામી) અને પૂ. કાંતાબાઈ મહાસતીજી નાં સુશિષ્‍યા પૂ. ઉષા પ્રવીણાબાઈ મહાસતીજીનાં શિષ્‍યા પૂ. જાગળતિબાઈ મહાસતીજી (સંસાર પક્ષે મોટાબેનસ્‍વામી) થાય છે. પૂ.શ્રીની પ્રેરણાથી શહેરમાં જૈનો માટે રૂા.૧૦માં ટીફીન - ભોજન સેવાનો એસટી બસ સ્‍ટેન્‍ડ ખાતે જૈન ભોજનાલયનો પ્રારંભ થયો છે.

સદગુરૂદેવને વૈરાગ્‍ય પ્રગટીકરણ ૧૯૯૬ માં પૂ. પ્રફુલ્લબાઈ મહાસીતીજીની પ્રેરણાથી થયેલ. તા.૧/ર/૧૯૯૮ ના નિકાવા ગામમાં ભવ્‍યાતિભવ્‍ય દીક્ષા યોજાયેલ. મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબની પરમ પાવન કૃપાથી તેમના ચરણમાં સમર્પિત બની સાધના આરાધના દ્વારા સંયમજીવનને સફળ બનાવતા રહ્યા સ્‍પષ્ટ અને સત્‍ય વકતા છે. ૩ર આગમ, પાંચકર્મ ગ્રંથ ૧રપ થોકડા તત્‍વાર્થાભિગમ સૂત્ર, પ્રાકળતવિજ્ઞાન પાઠમાળા, સંસ્‍કળત મન્‍દિરાન્‍ત પ્રવેશિકા, પ્રમાણનય તત્‍વાલોક, ષડદર્શન સમુચ્‍ચય, સ્‍યાદવાદ મંજરી, વિદુરનિતિ, ચાણકયનિતિ, ભતર્ળહરિ વૈરાગ્‍ય શતક આદિ આગમો ગ્રંથોનો ધાર્મિક અભ્‍યાસ કર્યો. સંસ્‍કળત મન્‍દિરાન્‍ત પ્રવેશિકાની ગાઈડ, ઘરને ઘર રહેવા દો, ‘માં' એ જ મહાશકિત, હસ્‍તુ જીવન હસ્‍તુ મરણ પુસ્‍તકનું સંપાદન કર્યું હતું.

(4:32 pm IST)