Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્‍દ્ર દ્વારા મહાશિવરાત્રીએ ગૌ માતાઓને ૨૧૧ લાડુ જમાડાશે

રાજકોટ તા. ૧૬ : જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્‍દ્ર દ્વારા મહાશિવરાત્રી નિમિતે ગૌમાતાઓને ૨૧૧ કિલો લાડુનું જમણ કરાવાશે.

લાડુ તૈયાર કરવા માટેનો શ્રમયજ્ઞ તા. ૧૭ ના શુક્રવારે સવારે ૩.૩૦ વાગ્‍યાથી રાજકૃતિ એપાર્ટમેન્‍ટ , એફ-૧, એરપોર્ટ રેલ્‍વે ફાટક પાસે આરંભાશે. ઉલ્લેખનીય છે કે દર પૂનમ તથા અમાસના દિવસે ગૌમાતાઓને લાડવા અર્પણ કરવા સાથે શ્વાનોને પણ દુધ રોટલી અલગ અલગ ૨૨ જગ્‍યાએ અર્પણ કરાઇ રહી છે.

જરૂરી સેવા કાર્ય માટે ચંદુભાઇ ગોળવાળા મો.૯૩૭૪૧ ૦૧૭૧૬, મનુભાઇ બલદેવ મો.૯૮૨૪૮ ૧૫૭૬૭, પ્રિયવદનભાઇ ભટ્ટ મો.૯૪૦૮૦ ૦૩૨૬૯ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:46 pm IST)