Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

રાજકોટ અને મોરબી જિલ્લામાં નોંધાયેલા શિક્ષિત બેકારો ૧ર૦૦૬

(અશ્‍વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૬: રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં નોંધાયેલ બેરોજગારો અંગે અરવિંદભાઇ લાડાણીના પ્રશ્‍નના ઉત્તરમાં શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્‍યું હતું કે તા. ૩૧-૧ર-રર ની સ્‍થિતિએ રાજકોટ વિનિમય કચેરીમાં ૧૧૧૧૦ શિક્ષિત ૮૯૬ અર્ધશિક્ષિત મળી કુલ ૧ર૦૦૬ બેરોજગારો નોંધાયેલ છે.

મોરબી જિલ્લામાં શિક્ષિત ૩૦ર૯ અર્ધ શિક્ષિત ૧૩૯ મળી કુલ ૩૧૬૮ બેરોજગારો નોંધાયેલ છે. છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં ૪૪૮૯૧ અને મોરબી જિલ્લામાં કુલ પપ૯૩ બેરોજગારોને રોજગારી આપવામાં આવી છે.

સરકારી નોકરીમાં ભરતીની પ્રક્રિયા રોજગાર કચેરી મારફત થતી નથી જેથી તા. ૩૧-૧ર-રર ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં રોજગાર વિનિમય કચેરી રાજકોટ અને મોરબી મારફત આપવામાં આવેલ ખાનગી રોજગારી બાબત ધ્‍યાને લઇએ તો સરકાર દ્વારા બેરોજગારોને રોજગારી આપવાની પ્રક્રિયા સારી રીતે ચાલી રહી છે.

(3:59 pm IST)