Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

૧૩ દિવ્‍યાંગ મુકબધીર દીકરીઓ દ્વારા ગણેશવંદના

રાજકોટઃ પરમ પૂજય શ્રીધીરજમુની મહારાજ ગુરુદેવની પ્રેરણા અને આશીર્વાદથી શ્રી છ.શા.વિરાણી બહેરા મૂંગા શાળાના ૧૩ દિવ્‍યાંગ મુકબધીર દીકરીઓ દ્વારા ડો.સી.જી.દેસાઇ અને જશવંતબેન દેસાઇ ફાઉન્‍ડેશન ડે કેર અને ડાયગ્નોસિક સેન્‍ટરના ઉદઘાટન સમારોહમાં ધરમપુર ખાતે કાર્યક્રમમાં ગણેશ વંદનાની કૃતિ પ્રસ્‍તુત કરી હતી. ટ્રસ્‍ટી શ્રી પ્રશાંતભાઇ વોરા, ટ્રસ્‍ટીશ્રી રાજેશભાઇ વિરાણી બાળકોનો ઉત્‍સાહ વધારવા ઉપસ્‍થિત રહયા હતા. શાળાના પ્રમુખશ્રી રજનીભાઇ બાવીસી અને શાળાના માનદમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ દવે દ્વારા બાળકોને વીડીયો કોલ કરીને અભિનંદન આપી ઉત્‍સાહમાં વધારો કર્યો હતો આ કૃતિ તૈયાર કરવામાં શાળાના આચાર્યશ્રી કશ્‍યપભાઇ પંચોલીના માર્ગદર્શન નીચે ડાન્‍સ ટીચર શિક્ષિકા બહેનશ્રી ક્રિષ્‍નાબેન મોજીદ્રા તેમજ શિક્ષિકા બહેનશ્રી માલતીબેન કુકડીયાએ જહેમત ઉઠાવી હતી. આ કૃતિની ખાસ વાત એ છે કે માત્ર બે દિવસમાં આ કૃતિ તૈયાર કરવામાં આવી હતી. ધરમપુર જતા રસ્‍તામાં આવતા નવસારી મુકબધીર શાળા ખાતે પણ બાળકોએ મુલાકાત લીધી હતી.

(4:00 pm IST)