News of Thursday, 16th June 2022
રાજકોટ : શ્રી ગણેશ વિદ્યાલયના આચાર્ય તેમજ રાજય આચાર્ય સંઘના મુખ્ય હોદ્દેદાર એવા ભુપેન્દ્રસિંહજી જાડેજા નિવૃત્ત થતાં તેમની નિવૃત્તિને પોખવા ગણેશ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા જૂનાગઢના રમણીય સ્થળ પ્રેરણા ધામ ખાતે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન થયું. મુંજકા આર્ષ વિદ્યા મંદિરના સ્થાપક અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજય આચાર્ય સંઘના પ્રમુખ અને બોર્ડ સભ્ય જે.પી.પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ કૈલા તેમજ જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે પણ ઉપસ્થિત રહી નિવૃત્તિની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત માધ્યમિક શિક્ષણ બોર્ડના વર્તમાન અને ભૂતપૂર્વ સભ્યો, અનેક ગામના સરપંચો, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી. શ્રી જાડેજા પોતાની શિક્ષણ યાત્રા દરમિયાન અનેક પદ, હોદા શોભાવ્યા હોવાથી તેમજ તેમના મિલનસાર સ્વભાવના કારણે રાજકોટ શહેર આચાર્ય સંઘના પ્રમુખ સંજયભાઈ પંડ્યાના નેતૃત્વમાં બહોળી સંખ્યામાં શહેરના ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી શુભેચ્છા વ્યક્ત કરી હતી.અનેક જિલ્લા આચાર્ય ઘટક સંઘના પ્રમુખ-મંત્રીઓ, હોદ્દેદારો અને આચાર્યો, સગા -સંબંધીઓ, મિત્રો, શુભેચ્છકો વગેરેએ બહોળી સંખ્યામાં હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. અમેરિકા-સિંગાપોરથી ખાસ પધારેલ ગણેશ એજયુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયરામભાઈ અપારનાથ અને પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન અપારનાથ પણ જાડેજાના આટલા ચાહક વર્ગની ઉપસ્થિતિ જોઈ પ્રભાવિત થયા હતા. તેમણે જાડેજાને સોંપેલી શાળાને સાર્થકતા સાબિત થયાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો. પૂજય સ્વામીજીએ પણ જાડેજાના નિમણૂક વખતે સત્કાર સમારોહમાં અને ૨૧ વર્ષ બાદ નિવૃત્તિ વખતે નિવૃત્તિ સમારોહમાં એમ બંને વખતે હાજર રહેવાની ખુશી વ્યક્ત કરી હતી. સ્વામીજીએ પોતાના મનનીય વક્તવ્યમાં જાડેજાની સિદ્ધિઓની ભારે પ્રશંસા કરી હતી. અંતમાં આભારવિધિ ત્રિદલ વિદ્યાલયના નિયામક નિમિષાબેને કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય કિશોરભાઈ દવે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને જાડેજાના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ એવા વી.ડી.વઘાસિયાના માર્ગદર્શન હેઠળ ભરતસિંહ રાયજાદા તેમજ ગણેશ વિદ્યાલયના પરિવારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે પ.પૂ.સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજી, અધ્યક્ષ આર્ષ વિદ્યા મંદિર, રાજકોટ, બી. એસ. કૈલા - જિલ્લા શિક્ષણાધિકારી, આર.એસ. ઉપાધ્યાય - જિલ્લા શિક્ષણાધિકારી, જુનાગઢ. જે.પી.પટેલ - પ્રમુખ અને બોર્ડ મેમ્બર, ગુજરાત રાજય આચાર્ય સંઘ મહામંડળ, ગાંધીનગર, જયરામભાઈ અપારનાથ - મેનેજીંગ ટ્રસ્ટી,ગણેશ એજયુકેશન ટ્રસ્ટ,રાજકોટ, પ્રવિણાબેન અપારનાથ - પ્રમુખ ગણેશ એજયુકેશન ટ્રસ્ટ,રાજકોટ, શ્રીમતી ઉષાબા જાડેજા - ટ્રસ્ટી, ગણેશ એજયુકેશન ટ્રસ્ટ, પ્રવિણસિંહ - નિવૃત્ત આચાર્ય - ધંધુકા, રાજેન્દ્રસિંહ જાડેજા, વિષ્ણુભાઈ પટેલ - મુખ્ય સંપાદક સારસ્વત, હરદેવસિંહ જાડેજા - કન્વીનર, રાજય કલ્યાણ નિધિ, પ્રિયવદનભાઈ કોરાટ - બોર્ડ મેમ્બર, માંગરોલિયા - પૂર્વ મહા મંત્રી ગુજરાત રાજય આચાર્ય સંઘ મહામંડળ, સંજયભાઈ પંડ્યા - પ્રમુખ રાજકોટ શહેર આચાર્ય સંઘ, ચંદ્રાલા - પૂર્વ બોર્ડ મેમ્બર, આર.ડી.પટેલ - પૂર્વ બોર્ડ મેમ્બર, બડમલીયા - શિક્ષણ નિરીક્ષક, રાણા - ઓફિસ અધિક્ષક, ભરતસિંહ ચૌધરી - પૂર્વ બોર્ડ મેમ્બર, ભાનુભાઇ પટેલ - પૂર્વ બોર્ડ મેમ્બર, ગિજુભાઈ જોશી - પૂર્વ બોર્ડ મેમ્બર તથા રાજકોટ શહેર આચાર્ય સંઘના ભાઈ-બહેનો અને વિવિધ ગામના સરપંચો, હોદેદારો અને બહોળી સંખ્યામાં બંને પરિવારના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.