Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

હનુમાન મઢી પાસે જ્ઞાનજીવનમાં ભારતીબેનનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૬: રૈયા રોડ હનુમાન મઢી નજીક જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતાં ભારતીબેન (જ્‍યોતિબેન) હરેશભાઇ ધુમનાણી (ઉ.૪૮) સાંજે બિમારીને લીધે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં ત્રણ પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

(10:57 am IST)