Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

રાકેશભાઈ રાજદેવના માતુશ્રી વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવનું દુઃખદ નિધન

ઈચ્છાનુસાર ભાગવત સપ્તાહનું આયોજન સંપન્ન કરી જીવનલીલા સંકેલી લીધી

રાજકોટ : સ્વ.વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવ (ઉ.વ.૮૧) તે સ્વ.રાજુભાઈ રાજદેવ, મનોજભાઈ રાજદેવ, મનીષભાઈ રાજદેવ, દિવ્યેશભાઈ રાજદેવ અને રાકેશભાઈ રાજદેવના માતુશ્રી તેમજ મહેન્દ્રભાઈ રાજદેવના ભાભી આજરોજ તા.૧૭ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની અંતિમયાત્રા આજે બપોરે ૩ કલાકે તેમના નિવાસસ્થાન નીલ સીટી, યુનિવર્સિટી ગેટ પાસેથી નીકળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિમળાબેનની ઈચ્છા અનુસાર તાજેતરમાં જ રાજદેવ પરિવાર દ્વારા રાજકોટમાં તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન ભાગવત કથાનું ખૂબ જ ભાવપૂર્વક, પારિવારીક આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સમગ્ર રાજદેવ પરિવારે કથામૃતનો લાભ લીધો હતો. સદ્દગત વિમળાબેનનું દુઃખદ નિધન થતા સમગ્ર રાજદેવ પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. શ્રીજી બાવા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ... (મો.૯૯૨૫૮ ૦૦૦૮૯)

 

(3:46 pm IST)