Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડાની ફરિયાદનો તાકિદે નીકાલ કરવો : કંટ્રોલરૂમની મુલાકાત લઇ વિગતો મેળવતા પ્રદિપ ડવ

રાજકોટ : તૌકતે વાવાઝોડાના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જયુબેલી ગાર્ડન ખાતે શરૂ કરેલ કંટ્રોલ રૂમની મુલાકાત મેયર ડો.પ્રદિપ ડવએ લીધી હતી. આ મુલાકાત દરમ્યાન સંબંધિત અધિકારી પાસેથી કંટ્રોલ રૂમમાં ફાળવવામાં આવેલ સ્ટાફ તેમજ મજુરો, સાધન -સામગ્રી, ફરિયાદ બુક વિગેરેની માહિતી મેળવેલ હતી. કંટ્રોલ રૂમમાં વાવાઝોડા અંતર્ગત કોઇ ફરિયાદ આવે તો ફરિયાદના નિકાલ માટે તુરંત જ કાર્યવાહી કરવા તાકિદ કરી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:28 pm IST)