Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

વોર્ડ નં.૬માં યુવરાજનગરમાં પેવર કામનું ખાતમુહૂર્ત

 રાજકોટ : શહેરના વોર્ડ નં. ૬માં યુવરાજ નગરમાં પેવર કામનું ખાતમુહૂર્ત વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૬ના કોર્પોરેટર દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા, પરેશભાઈ આર.પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, વોર્ડ નં.૬ના પ્રમુખ દ્યનશ્યામભાઈ કુંગશીયા, વોર્ડના મહામંત્રી દુષ્યંતભાઈ સંપટ, વિરમભાઈ રબારી, હિરેનભાઈ રાવલ, પરાગભાઈ મહેતા, દિગુભા ગોહિલ, જગાભાઈ રબારી, અનિલભાઈ ચૌહાણ, અંકીતભાઈ દુધાત્રા, જયદેવ ગોહેલ, કિન્નરીબેન ચૌહાણ, સજુબેન રબારી, હેતલબેન પાટડિયા, ગીતાબેન સોનારા, વિભાભાઇ રબારી, લાલો બામ્બા, મગનભાઈ સોલંકી, જીતુભાઈ ઝાપડીયા, મનસુખભાઈ જાદવ, નઝમાબેન પઠાણ, નારણભાઈ વાદ્યેલા, ધુધાભાઈ મુંધવા, નીખીલભાઈ મુંધવા, રમેશભાઈ મકવાણા, શિવાભાઈ સાકરીયા, ધીરૂભાઈ રોજાસરા તથા યુવરાજ નગર લતાવાસીઓ ઉપસ્થિત રહેલ.

(3:01 pm IST)