Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

સરદાર પટેલને સુતાંજલી

 સરદાર વલ્લભભાઇ પટેલની ૭૧ મી પૂણ્યતીથી નિમિતે સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મીનાબેન હરસોરા તેમજ રમણભાઇએ ભજનોથી કરાવેલ. બાદમાં સરદાર સાહેબની પ્રતિમાને સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા સુતાંજલી અને પુષ્પાંજલી કરવામાં આવેલ. સંસ્થાના મંત્રી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ સહુનું શાબ્દીક સ્વાગત કરેલ. આ તકે વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પારિતોષિક અને સર્ટીફીકેટ અપાયા હતા. સંસ્થાના અન્ય ટ્રસ્ટી કમલભાઇ ધામી, ધીરૂભાઇ ધાબલીયા, સ્મિતાબેન ઝાલા પણ સાથે જોડાયા હતા. આ અવસરે સ્મારક હોલમાં જ હોમિયોપેથીક નિદાન કેમ્પ શરૂ કરાયો હતો. જેમાં હવેથી દર બુધવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ હોમિયોપેથીક ડોકટર સેવા આપશે. ઇનામ વિતરણનું સંચાલન અને અંતમાં આભારવિધિ ગ્રંથપાલ કોમલ વૈષ્ણવે કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(3:02 pm IST)