Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

શ્રી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલમાં વાસાવડના મુકેશભાઈ પટણીનું વિનામૂલ્યે સફળ ઓપરેશન

૩ વાલ્વની તકલીફના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડતી, હાથ, પગ અને પેટમાં પાણી ભરાઈ ગયું હતું

રાજકોટઃ 'દિલ વિધાઉટ બીલ'ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૧ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે દર્દીઓને ગરીબ હૃદયરોગના  વિનામૂલ્યે  નવ જીવન આપીને આ હોસ્પિટલે સેવાક્ષેત્રે અનન્ય ઉદાહરણ પૂરૃં પાડ્યું છે.. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદય ના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૧ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ(કાલાવડરોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના , માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

આવું જ એક  દર્દી મુકેશભાઈ ધીરૂભાઈ પટણી ઉમર ૩૮ વર્ષ રહેવાસી ગામૅં વાસાવડ, તા. ગોંડલ, જિલ્લો રાજકોટનું રહેવાસી  હદયની  તકલીફના નિદાન માટે આવેલ હતું.

દર્દીના કુટુંબમાં પત્ની, ૨ પુત્રો, ૨ પુત્રી સહીત ૬ વ્યકિત છે. દર્દી શાકભાજીની રેંકડી ચલાવે છે, તેમની અંદાજીત માસિક આવક આશરે ૮ હજાર રૂપિયા રૂ જેટલી છે. દર્દીને હૃદયની બીમારી આશરે ૩ વર્ષથી છે. ગોંડલની હોસ્પિટલ માં તેઓએ નિદાન કરાવતા ઓપરેશનની સલાહ મળી હતી. પરંતુ આર્થિક મુશ્કેલીના હિસાબે ઓપરેશન કરાવી શકતા ન હતા. તેઓના સગા પાસેથી શ્રી સત્ય સાંઈ  હાર્ટ હોસ્પિટલ, રાજકોટની માહિતી મળતા તેઓ નિદાન માટે આવેલ હતા. 

 દર્દી ના જરૂરી રિપોર્ટ્સ કરતા માલુમ પડેલ હતું કે દર્દીને ૩ વાલ્વની તકલીફ હતી. જેને હિસાબે શ્વાસ લેવામાં  તકલીફ પડતી હતી, હાથ, પગ અને પેટમાં પાણી ભરાઈ ગયું હતું, ધબકારા ખુબ જ અનિયમિત થઇ ગયા હતા. આ તકલીફોને હિસાબે દર્દી એ કામ પણ બંધ કરવું પડેલ હતું. આ દર્દીના ૨ વાલ્વ બદલવાનું અને ત્રીજો  વાલ્વ રિપેર કરવાનું ઓપરેશન તદ્દન વિનામૂલ્યે સફળતાપૂર્વક કરવામાં આવેલ હતું.

(3:54 pm IST)