Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

મવડી ચોકડી જશરાજનગરમાં મીતનો ગળાફાંસો ખાઇ આપઘાત

યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા તાલુકા પોલીસે તપાસ આદરી

રાજકોટ, તા. ૧૭ : મવડી ચોકડી પાસે આવેલા જશરાજનગરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મવડી ચોકડી પાસે જશરાજનગરમાં રહેતા મીત કિરીટભાઇ બકરાણીયા (ઉ.વ.ર૪) એ સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો યુવાનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં પણ કરતા ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. હરદેવસિંહ સહિત સ્થળ પર દોડી ગયા હતા.

મૃતક મીત બેભાઇમાં મોટા હતો. તેણે કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. 

(3:59 pm IST)