Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

કેવડિયામાં ચિંતન શિબીરનો પ્રારંભઃ રાજકોટથી કલેકટરો-મ્‍યુ. કમીશ્નરો-ડીડીઓનું બસમાં પ્રસ્‍થાન

રાજકોટ : આજ બપોરથી કેવડિયા ખાતે ગુજરાત સરકાર દ્વારા સનદી અધિકારીઓની ત્રણ દિવસની ચિંતન શીબીરનો પ્રારંભ થયો છે, મુખ્‍યમંત્રી-મંત્રીઓ-હાઇલેવલ અધિકારીઓ તમામ કલેકટર-મ્‍યુ.કમીશ્નરો-ડીડીઓ તેમાં ભાગ લેશે, પાંચ વિષયો ઉપર પ્રેઝન્‍ટેશન-સૂચનો થશે. આ શીબીરમાં ભાગ લેવા આજે સવારે ૭ વાગ્‍યે એસટીની લકઝરી સ્‍લીપર કોચમાં રાજકોટથી કલેકટરો-મ્‍યુ.કમીશ્નરો-ડીડીઓ  બટેટાપવા-બ્રેડ બટર-ખાખરા સહિતનો નાસ્‍તો કરી રવાના થયા હતાં. તસ્‍વીરમાં રવાના થતા રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષી, મ્‍યુ. કમીશ્નર આનંદ પટેલ, મોરબી ડીડીઓશ્રી ડી. ડી. જાડેજા, જામનગર મ્‍યુ. કમિશ્નરશ્રી મોદી, જામનગર કલેકટરશ્રી બીજલ શાહ, દ્વારકા કલેકટરશ્રી અશોક શર્મા, મોરબી કલેકટરશ્રી જી. ટી. પંડયા, પોરબંદર-ડીડીઓશ્રી કેતન ઠકકર, દ્વારકા ડીડીઓ શ્રી એસ. ડી. ધાનાણી સહિત ૪પ થી વધુ અધિકારીઓ સવારે ૭ વાગ્‍યે રવાના થયા તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(12:34 pm IST)