Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

મૃત્‍યુથી મોક્ષ સુધીની યાત્રા રજુ કરતુ ચિત્ર પ્રદર્શન ‘સફર' ખુલ્લુ મુકાયુ

રાજકોટ : આકૃતિ આર્ટસ ગ્રુપ દ્વારા ૧૧ મું આર્ટ પ્રદર્શન ‘સફર' ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે ખુલ્લુ મુકાયુ છે. તા. ૨૧ સુધી સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી કલાપ્રેમીઓ આ પ્રદર્શન નિહાળી શકશે. જેમાં મૃત્‍યુથી મોક્ષ સુધીની યાત્રા રજુ કરવામાં આવી છે. ૭૦ થી વધુ આર્ટીસ્‍ટ દ્વારા તૈયાર કરાયેલ ૧૦૮ કૃતિઓ પ્રદર્શિત કરાઇ છે. પ્રદર્શનનું ઉદ્દઘાટન ઇસ્‍કોન મંદીરના શ્રી વૈષ્‍ણવસેવાદાસજી તથા જલધી કોકોનટ વોટરવાળા મેહુલભાઇ અજાગીયા, સેતુ ફાઉન્‍ડેશનવાળા જાગૃતિબેન, સીનીયર આર્ટીસ્‍ટ નલિન સુચક, આર.ટી.ઓ. કેતન ખપેડ, સૌરાષ્‍ટ્ર ચિત્રશાળા આર્ટીસ્‍ટ ઉદય સર, વાઇકીંગ એડવર્ટાઇઝીંગવાળા ક્રિશ ગોહેલ વગેરેની ઉપસ્‍થિતીમાં કરવામાં આવેલ. ઉદ્દઘાટન સમયની તસ્‍વીરો નજરે પડે છે.

(4:43 pm IST)