Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ચેતન રામાણીના નિવાસસ્‍થાને મહામંડલેશ્વર પૂ.અખીલેશ્વરદાસજી

રાજકોટઃ પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી ચેતનભાઇ રામાણીના નિવાસસ્‍થાન ખાતે શ્રી પંચમુખી હનુમાન ધામ ના વડા મહંત તેમજ અખીલ ભારતીય સંત સમીતીના રાષ્‍ટ્રીય મહામંત્રી મહામંડલેશ્વર પ.પૂ શ્રી અખિલેશ્વરદાસજી મહારાજશ્રી એ પાવન પગલા કરી પધરામણી કરી ત્‍યારે ફૂલહાર, ખેસ, પ્રસાદિની મૂર્તી ભેટ આપી હતી. આ પ્રસંગે રાજકોટના ધારાસભ્‍ય તેમજ ખોડલધામ ટ્રસ્‍ટી રમેશભાઇ ટિલાળા, પૂર્વધારાસભ્‍ય લાખાભાઇ સાગઠિયા, જીલ્લાભાજપ કાર્યકર ગિરીશભાઇ પરમાર, હાઇ-બોન્‍ડ ઇન્‍ફાના કિશોરભાઇ પાંભર, કોર્પોરેટર નિતીનભાઇ રામાણી, સુરેશભાઇ રામાણી વિગેરે ઉપસ્‍થીત રહ્યા હતા.

(4:47 pm IST)