Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી હસમુખભાઇ પટેલનું ૮૪ વર્ષે દુઃખદ અવસાન

રાજકોટ તા. ૧૯ : કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા અને રાજયના પૂર્વ શિક્ષણમંત્રી હસમુખભાઇ પટેલનું દુઃખદ અવસાન થયું છે. તેમણે ૧૯૮પમાં શિક્ષણમંત્રી તરીકે ફરજ નિભાવી હતી. તેઓ ૮૪ વર્ષના હતા. તેઓ સાતમી ગુજરાત વિધાનસભાના સભ્‍ય હતા. તેમણે માર્ચથી જુલાઇ ૧૯૮પ દરમિયાન દંડક તરીકે પણ કાર્યરત હતા.સદ્દગત હસમુખભાઇ ગુજરાત રાજય માર્ગ વાહન-વ્‍યવહાર કામદાર સંઘના ઉપપ્રમુખ અને ગુજરાત રાજ્‍ય પાઠય પુસ્‍તક મંડળ, ૧૯૮ર-૮પ ના સ્‍થાપક સભ્‍ય હતા. તેઓ રાજકારણી હોવાની સાથો-સાથ લેખક અને કવિ પણ હતા. તેમના અર્થશાષા, રાજકારણ, કોંગ્રેસ પક્ષની નીતી અનેકાર્યક્રમો સહિતના વિષયો ઉપર અનેક લેખો છપાયા હતા. તેમણે એમ.એ. (અર્થશાષા) સુધીનો અભ્‍યાસ કર્યો હતા.

હસમુખભાઇના નિધનથી કોંગ્રેસે એક નિષ્‍ઠાવાન અને ગાંધીવાદી નેતા ગુમાવવાની સાથે જાહેર જીવનમાં પણ ખોટ પડી છે.

(4:47 pm IST)